Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રુપાલાનો વિરોધ યથાવત : સુરેન્દ્રનગર જિલ્લાના 50 ગામમાં ફરીને શક્તિ માતાજીના મંદિરે ધર્મરથનુ સમાપન થયું

ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલ સુધી ભાજપના વિરોધમાં મતદાન કરવા અંગેનો પ્રચાર કરાશે

સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજની માંગ નહીં સ્વીકારાતા, ક્ષત્રિય સમાજે ધર્મરથનું આયોજન કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના 50 ગામમાં ફરીને સુરેન્દ્રનગરના શક્તિ માતાજીના મંદિરે ધર્મરથનુ આજે સમાપન થયું હતું.

આવતીકાલ શુક્રવારથી ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલ સુધી ભાજપના વિરોધમાં મતદાન કરવા અંગેનો પ્રચાર કરાશે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજના લોકોને પણ સમર્થન જાહેર કરતા સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં થયો વધારો થવા પામ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવામાં નેતાઓ રહ્યા છે નિષ્ફળ રહ્યાં હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલથી ગામે ગામ ભાજપ વિરોધી કાર્યક્રમોનું આયોજન કરાશે.

(12:46 am IST)