-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
જામનગર LCB નો સપાટો : પિસ્ટલ-તમંચા સાથે દિગ્જામ મીલ પાસેથી મુકેશ જાનીભાઇ શર્માને પકડી પાડ્યો : પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ
જામનગર : LCB એ આજે સપાટો બોલાવ્યો હતો. પિસ્ટલ અને તમંચા સાથે દિગ્જામ મીલ પાસેથી મુકેશભાઇ જાનીભાઇ શમાને પકડી પાડયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેનો ગુન્હો સીટી-સી ડીવીઝનના પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે.
જામનગર : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી શ્વેતા શ્રીમાલી નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો. ઇનૂસ શ્રી એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો સઇ. શ્રી કે કે ગોહીલ તથા પો.સ ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન એલ.સી.બી. ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા। તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ હકિકત આધારે દીગ્જામમીલ, મહાકાળી સર્કલ પાસેથી આરોપી મુકેશભાઇ જાનીભાઇ શર્મા રહે. હર્ષદમીલની ચાલી પાછળ, પ્રણામીપાર્ક-૩ જામનગર વાળાના કબ્જા માંથી એક દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા એક દેશી બનાવટનો તમંચો કિ.રૂ. ૫૦૦૦/- નો મળી આવતા એ.એસ આઇ જયુભા ઝાલાએ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇસમ વિરૂધ્ધમા સીટી સી ડીવી પોસ્ટેમા હથિયારધારા મુજબ ગુનો રેકડ કરાવેલ છે. આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એમ.જે.જલુ ની સુચના થી પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ, પો.સ.ઇ શ્રી. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સૂટાફના જ્યુભા ઝાલા,સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્રારા કરવામા આવેલ છે.