Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

શિવકુંજ આશ્રમ જાળિયા- કોરોના કહરમાં કૃષ્ણકથા

ભાવનગરઃ પવિત્ર પુરુષોત્તમ માસ પ્રસંગે સર્વ પિતૃ મોક્ષ અને સત્સંગ હેતુ ભાવનગર જિલ્લાના શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભાવિકોને ( યુ -ટ્યુબ દ્વારા )ઘર બેઠા લાભ મળી રહ્યો છે. કોરોના બિમારીના કહરમાં વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદમયી માતાજી શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા વર્ણવી રહ્યા છે. સંગીતકાર સહાયકો સાથે જ તારીખ ૨૫-૦૯-૨૦૨૦ શુક્રવારથી તારીખ ૦૧-૧૦-૨૦૨૦ ગુરુવાર દરમિયાન આ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે.(મેઘના વિપુલ હિરાણીઃભાવનગર)

(11:29 am IST)