Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ટી-ર૦ વર્લ્ડ કપમાં ઓપનર બનીને ધૂમ મચાવશે હિટમેન અને કિંગ કોહલી?

તો યશસ્વી, ગિલ મિડલ ઓર્ડરમાં બેટીંગ માટે મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ આઇપીએલમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવીડ, મુખ્ય પસંદગીકાર અજીત આગરકર અને કેપ્ટન રોહીત શર્માએ ટી-ર૦ વર્લ્ડ કપની ટીમની પસંદગીને લઇને બૈઠક કરી હતી.

અહેવાલો અનુસાર રોહીત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનર તરીકે ઉતારવામાં આવશે. જો આવુ થશે તો યશસ્વી જાયસ્વાલને ટીમની બહાર અથવા રિઝર્વમાં રાખવામાં આવી શકે છે. યશસ્વી જાયસ્વાલને ટીમની બહાર અથવા રિઝર્વમાં રાખવામાં આવી શકે છે. યશસ્વી જાયસ્વાલને ટીમની બહાર અથવા રીઝર્વમાં રાખવામાં આવી શકે છે. યશસ્વી જાયસ્વાલ,  શુભમન ગીલ અને ઇશાન કિશને મીડલ ઓર્ડરમાં બેટીંગ કરવા માટે તૈયાર રહેવું પડશે. ટી-ર૦ વર્લ્ડ કપમાં કેપ્ટન રોહીત શર્મા અને વિરાટ કોહલી ઓપનર તરીકે ધૂમ મચાવતા જોવા મળી શકે છે.

અહેવાલ અનુસાર જો વાઇસ કેપ્ટન તરીકે સીલેકટ થયેલો હાર્દિક પંડયા આઇપીએલમાં સારી બોલીંગ કરશે તો જ તેને ટી-ર૦ વર્લ્ડ કપ રમાડવામાં આવશે. હાર્દિક પંડયાની બોલીંગ ફીટનેશ વિશે ચિંતીત સિલેકટર્સ ત્યારે જ હાર્દિક પંડયાના નામ પર વિચાર કરશે જયારે તે સારી બોલીંગ કરીને પોતાની ટીમને ઉપયોગી સાબીત થઇ શકતો હોય.

(3:45 pm IST)