Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઇમ્‍પેકટ પ્‍લેયરના નિયમ વિશે હિટમેનને મળ્‍યો એરોન ફિન્‍ચનો સપોર્ટ

નવી દિલ્‍હીઃ આઇપીએલમાંથી ઇમ્‍પેકટ પ્‍લેયરના નિયમને હટાવી દેવાની સલાહ આપનાર રોહિત શર્માને ઓસ્‍ટ્રેલિયન દિગ્‍ગજ એરોન ફિન્‍ચનો સાથ મળ્‍યો છે. તેણે કહ્યુ કે આનાથી ટીમની ખામીઓ ઉજાગર થતી નથી, જે નબળી વ્‍યુહરચના સાથે મેદાનમાં ઉતરી હતી. જે ટીમ શ્રેષ્‍ઠ  વ્‍યુહરચના સાથે મેદાન પર ઉતરે છે અને ફાયદો નથી મળતો.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્‍ય બદરીનાથે આ વિશે પોતાના વિચાર વ્‍યકત કરતા કહ્યુ કે ઇમ્‍પેકટ પ્‍લેયરના નિયમને કારણે જ આશુતોષ શર્મા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓને પ્‍લેટફોર્મ મળી શકયું. દિલ્‍હી કેપિટલ્‍સના ઓપનર ડેવિડ વોર્નરે ફ્રેન્‍ચાઇઝીસને સલાહ આપતા કહ્યુ કે આ નિયમ સાથે ટીમ પાંચ વિદેશી ખેલાડીઓને રમાડી શકે છે.

(2:46 pm IST)