Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોવૈયા ગ્રામ પંચાયતથી રાજકોટ જિલ્લા પંચાયત સુધીની સફર

ધીરૂભાઇ તળપદા છે મક્કમ, પ્રજા સાથે અડીખમ : હેપ્પી બર્થ ડે

રાજકોટ : પડધરીની પાડોશમાં આવેલા મોવૈયાના જાણીતા જનસેવક શ્રી ધીરૂભાઇ તળપદાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ગરવા અને નરવા જીવનના ૬૦માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. હાલ કોરોનાગ્રસ્ત લોકોની સેવામાં વ્યસ્ત છે.

શ્રી ધીરૂભાઇ તળપદા રાજકીય કારકિર્દીના પ્રારંભે મોવૈયા ગામના સરપંચ હતા એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી તેમના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જિલ્લા પંચાયતમાં ચૂંટાઇને કારોબારી અધ્યક્ષ પદ સુધી પહોંચેલા ગામની સુપ્રસિધ્ધ ગરબીના સંચાલનમાં અને લોકોપયોગી સહકારી પ્રવૃતિમાં તેમનો સિંહફાળો છે. આ ધુરંધર ધરતીપુત્રએ મહેનતથી પ્રતિષ્ઠા અને સફળતાનો સોળ આની પાક ઉગાડ્યો છે.

મો. ૯૮૯૮૬ ૯૧૧૧૧ અને ૭૦૪૩૦ ૯૧૧૧૧ મોવૈયા

(10:21 am IST)