Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કિરીટભાઈ કેસરીયાનો આજે જન્મદિનઃ ૬૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રઘુવંશી અગ્રણીશ્રી કિરીટભાઈ કેસરીયા આજે જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વેવિશાળના મુદ્દે કાર્યરત છે. વોટસએપ દ્વારા ૬૫ ગ્રુપની શરૂઆત કરી દિકરા- દિકરીઓની માહિતી ઘેરબેઠા પરસ્પર મળી રહે તે માટે બાયોડેટાની  આપ-લે કરી નવતર પ્રયાસ કર્યો છે. ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનમાં એડમીન તરીકે કિરીટભાઈ સેવા આપી રહ્યાં છે. જેમાં ૧૬ મેના ઝુમ દ્વારા ઓનલાઈન પરીચય મેળો કરવામાં આવશે. તેઓ રેસકોર્સ કલબ, લોહાણા મહાજન મેમ્બર, પદે સેવા આપી ચુકયા છે. લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતિ સંસ્થાઓમાં સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ, યાદગાર યુવક મંડળમાં પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. વિજય બેંકમાં અધિકારી પદે રહી નિવૃત થયેલા, નાગરિક બેંક, યાજ્ઞીક રોડ શાખામાં વિકાસ  કમિટીમાં પણ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. મો.૭૯૮૪૫ ૦૭૭૭૦, મો.૯૮૨૪૨ ૨૪૨૭૦

(3:14 pm IST)