Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ધોરાજી : લુહાર સમાજના સેવભાવી અગ્રણી રાજુભાઇ પિત્રોડાનો જન્મદિન

ધોરાજીઃ  જે.પી.પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલના પ્રમુખ અને લુહાર સમાજના સેવાભાવી રાજુભાઇ પિત્રોડાનો આજે જન્મદિવસ છે.

સેવાભાવી અગ્રણી રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મદિવસ નિમિતે તેઓએ જણાવેલ કે આજ આયુષ્યના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છું ત્યારે હું અને અમારો પરિવાર આ જન્મદિવસને એવા કોરોના દર્દીઓને સમર્પિત કે જેઓ પ્રાણવાયું મેળવવા માટે તડપી રહ્યા હતા ત્યારે મારા અને મારા પરિવાર દ્વારા સંચાલિત જે.પી પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિનામૂલ્ય ઓકિસજન રીફીલીંગ સેવાનો યશ જે તા. ૧૬/૦૪/૨૦૨૧ ના રોજ ચાલુ કરેલ. અને આ સેવાયજ્ઞ આજ સુધી આશરે ૧૪૦૦૦ કોરોના દર્દીઓને ઓકિસજન પૂરું પાડીને દર્દીઓનું અમુલ્ય જીવન બચાવી શકયા છીએ. જે દર્દીઓ આ કોરોના મહામારીમાં જીવનની વિદાય લય ચુકયા છે તેવા લોકોના પરિવારને મારા અને મારા પરિવાર દ્વારા શાંત્વના પાઠવી છીએ.

તેઓ દેવતણખી ધામ મજેવડી દેવતણખી ધામ પોરબંદર બોખીરાના ટ્રસ્ટી તેમજ ગોંડલ લુહાર સમાજના ઉપપ્રમુખ તેમજ અને સેવાભાવી સંસ્થા માં તેઓ સેવા આપી રહ્યા છે તેમના જન્મદિવસ નિમિત્ત્।ે તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૦ ૭૮૯૭૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:38 am IST)