Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઘી વેરાવળ મર્કન્ટાઈલ બેન્કના ચેરમેન જૈન અગ્રણી નવીનભાઈ શાહનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા.૧૯ઃ ઘી વેરાવળ મર્કન્ટાઈલ  કો. ઓપ બેન્ક લી. ના ચેરમેન અને વેરાવળ સોમનાથના જૈન અગ્રણી એવા નવીનભાઈ શાહનો આજે જન્મ દિવસ છે.

તેઓના વડપણ નીચે બેન્કે સતત પ્રગતિ કરેલ છે, ઘણી નવી શાખાઓ ખોલેલ છે, અને બેન્કને ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેઓ હંમેશા બેન્કના વિકાસ માટે ખુબજ પ્રત્યનશીલ હોય છે, અને બેન્કને ટૂંકા ગાળામાં ઉંચાઈના શીખરે પહોંચાડેલ છે.

અજાત શત્રુ એવા નવીનભાઈ ખુબજ શાંત, સરળ, જીવદયા પ્રેમી, મિલનસાર સ્વભાવ, સાદગી ભરેલ જીવન, અને જૈન સમાજમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે.

તેમજ વેરાવળ સોમનાથની અનેક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલ છે.

૧, શ્રી શાંતિનાથજી સ્વેતાબર મૂર્તિ પૂજક જૈન સંઘ માં, પ્રમુખ શ્રી. ૨ શ્રી પ્રભાસ પાટણ પાંજરાપોળ ટ્રસ્ટમાં પ્રમુખ શ્રી. ૩ શ્રી શાંતિનાથજી જૈન દેરાસર ટ્રસ્ટમાં ઉપ પ્રમુખશ્રી. ૪ શ્રી બિલેશ્વરર મહાદેવ મંદિરમાં ઉપ પ્રમુખ શ્રી. ૫ સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી શ્રી. ૬ શ્રી વેરાવળ મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી શ્રી. ૭ શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળમાં ટ્રસ્ટી શ્રી  ૮ શ્રી શાંતિનાથ યાત્રિક ભવનમાં ઉપ પ્રમુખશ્રી તરીકેની માનદ સેવા આપી રહ્યા છે. સાલસ સ્વભાવ ધરાવતા એવા નવીનભાઈ, દરેક સમાજના લોકો માટે હંમેશા કંઈક સારૃ અને સેવા કરવાનાં ભેખધારી છે. તેમજ બેન્કના દરેક સ્ટાફ માટે હંમેશા કંઈક સારૃ કરવાની ભાવના ધરાવે છે. દુઃખીયાના બેલી એવા નવીનભાઈના જન્મદિવસ નિમિતે શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

(1:18 pm IST)