Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કાર્તિકની ફિલ્‍મનું બજેટ વધારી દેવાયું

અભિનેતા કાર્તિક આર્યન હવે બોલીવૂડનો સુપરસ્‍ટાર બની ગયો છે. તેની ભૂલભુલૈયા-૨એ કમાણીના રેકોર્ડ તોડયા હતાં. આ ફિલ્‍મ પછી કાર્તિકના સિતારા ટોચ પર ચમકી રહ્યા છે. હવે તે શહઝાદામાં કામ કરી રહ્યો છે. સાજીદ નડિયાદવાલાએ પણ તેને એક ફિલ્‍મમાં લીધો છે. કાર્તિકે કહ્યું હતું કે શહઝાદાનું બજેટ હવે વધી ગયું છે. નાણાકીય રીતે આ ફિલ્‍મને ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો છે. નિર્માતા ભુષણ કુમારે પણ કહ્યું હતું કે કાર્તિકે આ મુશ્‍કેલીમાં ખુબ જ મદદ કરી છે. હવે ફિલ્‍મનું બજેટ વધારી દેવામાં આવ્‍યું છે. કાર્તિકની ‘ભૂલભુલૈયા ૨'ની જોરદાર સફળતાને લઈને એ નક્કી કરવામાં આવ્‍યું હોય તો નવાઈ નહીં. આ ફિલ્‍મને રોહિત ધવન ડિરેક્‍ટ કરી રહ્યો છે જે અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંથપુરામુલૂ'ની હિન્‍દી રીમેક છે. કાર્તિકે કહ્યું હતું કે ‘હું ‘શહઝાદા'ને લઈને ખુબ જ એક્‍સાઇટેડ છું. આ ફિલ્‍મને રિલીઝ કરવા માટે દસમી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.  રોહિત ખૂબ જ સારો ડિરેક્‍ટર છે. તેની સાથે મને ખુબ સારું ફાવી ગયું છે.

(10:45 am IST)