Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

એ પાત્ર તાન્યા માટે બની ગયું યાદગાર

અલગ અલગ ટીવી શોમાં પાત્રો ભજવતાં કલાકારો માટે અમુક પાત્ર જીવનભર યાદગાર બની જતાં હોય છે. આવી જ એક અભિનેત્રી છે તાન્યા શર્મા, જે ઝી ટીવીના શો 'કુરબાન હુઆ'માં પહાડી દુલ્હનનો રોલ નિભાવી રહી છે. શોમાં નીલનો રોલ રાજવીરસિંહ અને ચાહતનો રોલ પ્રતિભા રંતાની જોડી નિભાવી રહી છે. સ્ટોરીમાં નવો વળાંક આવતાં દર્શકોમાં ખુબ ઉત્સાહ હતો. નવા ચોંકાવનારા વળાંકમાં એવું દેખાડાયું છે કે તાન્યા શર્મા કે જે કાશ્મીરાનો રોલ નિભાવી રહી છે તેના લગ્ન નીલ સાથે થશે. આ પાત્ર માટે તાન્યાએ સંપુર્ણ લાલ રંગના પોષાકમાં દૂલ્હનનું રૂપ સજ્યું હતું. તેણે કહ્યું હતું કે પહાડી વસ્તો પહેરીને હું ખુબ ખુશ થઇ હતી. પહાડી દૂલ્હનની જેમ તૈયાર થવાનો મારો આ અનુભવ કાયમને માટે યાદગાર બની રહ્યો છે. મને લાગે છે કે આ પાત્ર જેવી મજા તો બીજે કયાંય નથી. આ મારા અત્યાર સુધીના પાત્રોમાં સોૈથી શ્રેષ્ઠ અનુભવ મને લાગે છે.

(10:03 am IST)