Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આલિયા અનુભવી રહી છે ગોરવ

આલિયા ભટ્ટની ત્રણ ફિલ્મો કતારમાં હોવાથી તે અત્યંત ખુશ છે. તેની બ્રહ્માસ્ત્ર, ગંગુબાઇ કાઠીયાવાડી અને આરઆરઆર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે આલિયાની એક ઇચ્છા પર સંજય લીલા ભણશાલીએ પાણી ફેરવી દીધું હતું. આલિયાની ઇચ્છા હતી કે તેની ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી તેના માતા પિતા, બહેન અને રણબીર કપૂરને દેખાડવામાં આવે. પરંતુ સંજયએ આ ફિલ્મ દેખાડવાની ના પાડી દીધી છે. અગાઉ રણબીર કપુર અને સોનમ કપૂરની સાંવરિયાની એક ઝલક પણ તેના પરિવારજનોને દેખાડાઇ નહોતી. ફિલ્મના સહનિર્માતા જયંતિલાલ ગડાને પણ સંજયએ ગંગુબાઇ કાઠીયાવાડી કોઇને નહિ દેખાડવા સ્પષ્ટ સલાહ આપી છે.  આલિયા આ ફિલ્મના પોતાના પાત્ર માટે ખુબ જ ગોૈરવ અનુભવી રહી છે. તે  કહે છે હું આ પાત્ર માટે થઇને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી છું. ફિલ્મની ટીમને તો અત્યારથી એવી આશા છે કે આ રોલ માટે આલિયાને નેશનલ એવોર્ડ પણ કદાચ મળી જશે. ફિલ્મ ૧૮મી ફેબ્રુઆરીએ  ફિલ્મ રિલીઝ થશે.

(9:58 am IST)