Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

માનસી શ્રીવાસ્વતની વિલન તરીકે એન્ટ્રી

ટીવી શો ઇશ્કબાજ ફેઇમ માનસી શ્રીવાસ્તવ હવે ઇશ્ક મેં મરજાવાં-૨ શોમાં વિલન બનીને આવી છે. કલર્સ ટીવીના રોમાન્ટીક થ્રિલર શોમાં હેલી શાહ, રાહુલ સુધીર, વિશાલ વશિષ્ઠની મુખ્ય ભુમિકા છે. રિધ્ધીમા (હેલી શાહ) પોલીસ ઓફિસર કબીર (વિશાલ)ના પ્રેમમાં છે. કબીર પોતાના દુશ્મન અને સાવકા ભાઇ વંશ રાયસિંઘાનીયા (રાહુલ સુધીર) સામે બદલો લેવા રિધ્ધીમાને વંશ સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે. જો કે લગ્ન થયા બાદ રિધ્ધીમા અને વંશ એકબીજાના પ્રેમમાં પડી જાય છે. બીજી તરફ લુચ્ચો કબીર તેને અલગક કરવાના કાવતરા રચતો રહે છે. માનસી શ્રીવાસ્તવ આહનાનો રોલ ભજવી રિધ્ધીમા અને વંશની જિંદગીમાં ઉથલ પાથલ કરશે. આહના એક ખાસ પ્લાન સાથે સિંઘાનીયા પરિવારમાં પરિવારમાં એન્ટ્રી કરે છે. માનસી શ્રીવાસ્તવ અગાઉ વિદ્યા અને ઇશ્કબાજ જેવા શો કરી ચુકી છે. તેણે ઇશ્ક મેં મરજાવાં-૨નું પોતાના ભાગનું શુટીંગ શરૂ કરી દીધું છે.

(9:24 am IST)