Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ટીના અઠવાડીયુ ફલેટમાં પુરાઇ રહી'તી

સ્ટાર ભારતના શો મન કી આવાઝ  પ્રતિજ્ઞાની બીજી સીઝનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. આ શોમાં મીરાનું પાત્ર ભજવતી ભૂમિકા ગુરંગે શો છોડી દેતાં તેની જગ્યાએ ટીના ફિલિપની એન્ટ્રી થઇ છે.  ટીના ફિલિપે અગાઉ અનેક શો કર્યા છે, પણ એ લાઇફમાં પહેલી વાર કોઈનું રિપ્લેસમેન્ટ કરી રહી છે. ટીના કહે છે, 'આમ તો આ રિપ્લેસમેન્ટ છે, પણ હું એને પણ નવા પાત્ર તરીકે જ જોઉં છું. મીરાના પાત્રમાં ભૂમિકાએ જેકંઈ એડ કર્યું હતું. એ બધું સારૃં કન્ટેન્ટ રાખીને હું મારી સાઇડથી નવું કન્ટેન્ટ ઉમેરીશ. મીરાના પાત્રને જોવા અને સમજવા માટે ટીનાએ એક વીક સુધી પોતાની જાતને ફલૅટમાં પૂરી દીધી હતી અને સિરિયલના અત્યાર સુધીના તમામ એપિસોડ જોઈ લીધા હતાં. ટીના કહે છે, 'હોમવર્ક ખુબ મહત્વનું છે. જો હોમવર્ક ન કરીએ તો દર્શકો સુધી પહોંચી શકાય નહીં. મેં મારી રીતે મીરાનું પાત્ર સમજ્યું છે.  એ જે લેવલ પર છે એનાથી એક લેવલ વધારે ઉપર લઈ જવાનો મારો પ્રયાસ હશે.

(10:04 am IST)