Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રેહના પંડિત કહે છે આર્થિક સલામતી જરૂરી

અભિનેત્રી રેહના પંડીતને ટીવી પરદે સિરીયલ જમાઇ રાજાને કારણે ઓળખ મળી છે. આ તેની કારકિર્દીની પહેલી જ સિરીયલ હતી. હાલમાં રેહના પંડિત  ઝીટીવીના 'કુમકુમ ભાગ્ય' શોમાં આલિયા મેહરા તરીકે જોવા મળી રહી છે. રેહનાએ કહ્યું કે મારો પાછલો શો મનમોહિની શારીરિક અને માનસિક રીતે થકાવી નાખનારો હતો.  એ શો પુરો થયો ત્યાં જ લોકડાઉન આવી ગયું હતું. શરૂઆતના બે મહિના તો વાંધો ન આવ્યો, પણ પછી બધું કઇ રીતે થશે એવા પ્રશ્નો ઉભા થયા હતાં. પણ થોડી છુટછાટો મળતાં જ 'કુમકુમ ભાગ્ય'ની કાસ્ટિંગ અસિસ્ટન્ટનો મને ફોન આવ્યો હતો. પહેલાં તો હું ખચકાઇ હતી કે આ રોલ બીજું કોઇ કરતું હતું, પણ પછી મેં હા પાડી અને ઓડિશન આપ્યું. આલિયાના પાત્રને પહેલા કોઇ બીજાએ ભજવ્યું હોઇ જેથી પ્રારંભે હું ચિંતામાં હતી. પણ અત્યારે કામની જરૂર હતી. પૈસાથી જ શાંતિ મળે છે એ મને સમજાયું છે. હાલના સમયમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. તમારે આર્થિક બાબતોથી પણ સલામત રહેવું જરૂરી છે.

(10:18 am IST)