Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આસિત મોદીના નિવેદન પછી શૈલેષ લોઢા ભાવુક થયા : સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

શૈલેષે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો ફોટો શેર કરતાં લખ્યું – 'તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા'. શૈલેષની શૈલી

મુંબઈ તા.08 : છેલ્લા 14 વર્ષથી ટીવી પર લોકોનું મનોરંજન કરતો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા સમાચારમાં રહે છે. તાજેતરમાં, શૈલેષ લોઢા, જેમણે શો ‘તારક મહેતા’ ના મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક ભજવ્યો હતો, તેણે શોને અલવિદા કહ્યું. તેના શોની વિદાય પછી લોકો તે જાણવા ઉત્સુક હતા કે તેણે શો કેમ છોડ્યો. જેને લઈ શોના નિર્માતા આસિત કુમાર મોદીએ ગઈકાલે નિવેદન આપ્યું હતું, જેના પર હવે શૈલેષ લોઢાએ રીએક્ટ કરતાં પોસ્ટ શેર કરી છે.

આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં નવા તારક મહેતા તો આવશે, જૂના આવશે તો વધારે મજા આવશે. શો બંધ થશે નહીં. આસિત કુમારના આ નિવેદન પછી શૈલેષ લોઢાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તેમણે ઈન્સ્ટા પોસ્ટ પર હાલમાં જ પોતાના મનની વાત વ્યક્ત કરી છે. હવે શૈલેષની આ પોસ્ટ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના રિએક્શનનો જવાબ છે અથવા બીજું કઈ એ તો એક્ટરને જ ખબર હશે.

શૈલેષે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો ફોટો શેર કરી લખ્યું- 'તેરે મેરે રિશ્તે કા યહી હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ દિમાગ રહા'. શૈલેષની શૈલી. શૈલેષ લોઢાની આ પોસ્ટ ફેન્સની વચ્ચે વાયરલ થઈ રહી છે. શૈલેષના ફેન્સ ઈચ્છે કે તેઓ ફરીથી તારક મહેતામાં પાછા આવી જાય. મેકર્સની સાથે તેમનો જે પણ વિવાદ હોય છે તેનો નિવેડો લાવે. આમ તો ફેન્સને એ વાતની ખાતરી છે કે શૈલેષ ટીવી સ્ક્રિનથી ગાયબ નથી થયા. તેઓ તારક મહેતામાં જોવા નથી મળતા તો શું થયું, પોતાના નવા શો વાહ ભાઈ વાહમાં ફેન્સને એન્ટરટેન કરે છે.

તારક મહેતાના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ બધાને સાથે જોડીને રાખવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ શું કરવું જો કોઈ આવવા જ ન માગતું હોય તો. લોકોનું પેટ ભરાઈ ગયું છે તેઓ ઘણું બધું કરી ચૂક્યા છે અને કરવા માગે છે. આસિત મોદીએ કહ્યું કે શો બંધ નહીં થાય. નવા તારક મહેતા જરૂર આવશે, જૂના આવશે તો પણ ખુશી થશે. અમે માત્ર બધાને એન્ટરટેઈન કરવા માગીએ છીએ.

(9:04 pm IST)