Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રોજ લડાઇ, 365 દિવસમાં 200 વખત સ્‍યુસાઇડની વાત... મરી જઇશ... તને ફસાવી દઇશ... આવી ધમકીથી કંટાળીને અભિનેતા સંદિપ નાહરનો આપઘાતઃ વીડિયો વાયરલ

મુંબઈ: બોલીવુડ અભિનેતા સંદીપ નાહરની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે. સંદીપે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ એસ ધોની: અનટોલ્ડ સ્ટોરી' અને અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી'માં કામ કર્યું હતું. સંદીપ નાહરની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા એવું લાગે છે કે તે ખુબ જિંદાદીલ વ્યક્તિ હતો. સંદીપે આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક પર લાઈવ કરીને પોતાની કહાની લોકો સાથે શેર કરી હતી અને સ્યૂસાઈડ નોટ પણ લખી. સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું કે તે પત્ની અને સાસુના કારણે જીવ આપી રહ્યો છે.

આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો

સંદીપે છેલ્લા વીડિયોમાં પત્ની પર સવાલ ઉઠાવ્યા હતા. વીડિયોમાં તે કહેતો જણાય છે કે હું આજે મેન્ટલી થોડો સ્ટેબલ નથી. સ્ટેબલ મારી પત્ની કંચન શર્માના કારણે નથી. દોઢ બે વર્ષથી હું એક ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છું. હું તેને ફેસ પણ કરી રહ્યો છું અને તેને સમજાવીને થાકી ગયો છું. રોજ લડાઈ, 365 દિવસમાં 200 વાર સ્યૂસાઈડની વાત કરી, મરી જઈશ...તને ફસાવી દઈશ..તારી કરિયર તબાહ કરી નાખીશ...તારા ખાનદાનને ફસાવી દઈશ...તે મારી ફેમેલીને ગાળો આપે છે, મારી માતાને નફરત કરે છે.

સ્યૂસાઈડ નોટમાં લખી વાત

સંદીપ ગોરેગાવમાં રહેતો હતો અને પત્ની અને સાસુને તેણે પોતાની આત્મહત્યા (Suicide) માટે જવાબદાર ઠેરવ્યા છે. તેણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે હવે જીવવાની ઈચ્છા થતી નથી. લાઈફમાં ખુબ સુખ દુખ જોયા. દરેક પ્રોબ્લમને ફેસ કર્યો. પણ આજે હું જે ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છું તે સહન થતું નથી. હું જાણું છું કે આત્મહત્યા કરવી કાયરતા છે. મારે પણ જીવવું હતું. બટ રીતે કેવી રીતે જીવાય, જ્યાં સૂકુન અને સેલ્ફ રિસ્પેક્ટ હોય. મારી પત્ની કંચન શર્મા અને તેના મમ્મી વીનૂ શર્મા જેમણે સમજ્યા, કે સમજવાની કોશિશ કરી. મારી વાઈફ હાઈપર નેચરની છે, તેની પર્સનાલિટી અલગ છે.

રોજ સવાર-સાંજનો ઝગડો, મારી હવે સાંભળવાની શક્તિ નથી. તેમાં કંચનની કોઈ ભૂલ નથી, તેનો નેચર એવો છે કે તેને બધુ નોર્મલ લાગે છે, પરંતુ મારા માટે બધુ નોર્મલ નથી. હું મુંબઈમાં ઘણા વર્ષોથી છું, મેં ખુબ ખરાબ સમય જોયો પરંતુ ક્યારેય ભાંગી પડ્યો નથી. ડબિંગમાં જીમ ટ્રેનર રહ્યો, એક રૂમના કિચનમાં લોકો રહેતા હતા, સ્ટ્રગલ કરતા હતા પરંતુ શાંતિ હતી. આજે મેં ઘણું મેળવ્યું છે. પરંતુ આજે લગ્નની શાંતિ નથી. 2 વર્ષથી જીવન ખુબ બદલાય ગયું છે. વાતો કોઈની સાથે શેર કરી શકુ નહીં. દુનિયાને લાગે છે કે તેનું કેટલુ સારૂ ચાલી રહ્યું છે. કારણ કે તે અમારી સોશિયલ પોસ્ટ કે સ્ટોરી જુએ છે. જે બધુ ખોટું છે. દુનિયાને સારી ઇમેજ દેખાડવા માટે અપલોડ કરુ છું. પરંતુ સત્ય તેનાથી વિપરિત છે.

રિયાની પણ નજીક હતો સંદીપ

સંદીપની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈએ તો ખબર પડે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસ પર તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે તે ખુબ દુખી થઈ ગયો હતો. તેણે સુશાંત સાથે પોતાનો એક ઈમોશનલ સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

(5:37 pm IST)