Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હવે બદલાવ આવ્યો છેઃ નિશા રાવલ

અભિનેત્રી નિશા રાવલ ફરી ટીવી શોમાં કામે વળગી ગઇ છે. ડિવોર્સના ચક્કરમાંથી તે બહાર આવી ગઇ છે અને હવે ઝી ટીવીના શો 'મીતમાં કામ કરી રહી છે. તે આ શોમાં મોૈસમનું પાત્ર ભજવી રહી છે. આ રોલ નેગેટિવ છે. નિશાએ કહ્યું કે આઠ વર્ષ પહેલાં મે છેલ્લો શો શશી સુમીત પ્રોડકશન સાથે કર્યો હતો અને હવે ટીવીમાં કમબેક પણ હું આ જ પ્રોડકશન હાઉસ દ્વારા કરી રહી છું. આથી જ મારા માટે 'મીત' વધુ સ્પેશ્યલ છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે અને એથી જ મારી કારકિર્દીમાં તેમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. મારું પાત્ર ભલે વિલનનું છે પણ તેની પર્સનાલિટી ત્રાસ આપે તેવી નથી. મોૈસમ પોતે સલામતિ અનુભવી શકતી નથી. એથી જ બીજા લોકોને તે અલગ દેખાય છે.  મને હંમેશાં ગ્લેમરસ રોલ જ ઓફર કરવામાં આવતા હતા, પરંતુ સારી વાત છે કે એમાં હવે બદલાવ આવ્યો છે.

(10:11 am IST)