Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

હું ખુશ છું લગ્નની કોઈ ઉતાવળ નથી

લગ્નનાં સવાલ પર મલાઈકા અરોરાએ આપ્‍યો જવાબ મલાઇકા-અર્જુન પોતાનો પ્રી-હનીમૂન એન્‍જોય કરી રહ્યા છે

મુંબઇ,તા.૨૦: બોલિવૂડ એક્‍ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ડાન્‍સ મૂવ્‍સની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઈકા જયાં પણ જાય છે, તે સેન્‍ટર ઓફ અટ્રેક્‍શન બની જાય છે. પ્રોફેશનલ લાઈફની સાથે જ મલાઈકા પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા, ૨૦૧૬માં અરબાઝ ખાનથી અલગ થઈ ગઈ હતી અને તેના થોડાક સમય બાદ અર્જુન કપૂરની સાથે રિલેશનશિપમાં આવી. અર્જુન-મલાઈકાની જોડી ફેન્‍સને ખૂબ જ ગમે છે અને તે હંમેશાં બન્નેના લગ્નને લઈને ઘણીવાર પ્રશ્ન કર્યા કરે છે. એવામાં મલાઈકાએ ફરી એકવાર પોતાના લગ્નના સવાલ પર રિએક્‍ટ કર્યું છે.

મલાઈકા અરોરા, અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બન્ને વચ્‍ચે લગભગ ૧૨ વર્ષનું અંતર છે, પણ તેમ છતાં બન્નેની જોડી ફેન્‍સને ખૂબ જ પસંદ છે. બન્ને સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર એકબીજા પ્રત્‍યે પ્રેમ વ્‍યક્‍ત કરતા જોવા મળે છે અને સાથે સ્‍પોટેડ પણ થાય છે. ફેન્‍સ ઈચ્‍છે છે કે બન્ને ઝડપથી લગ્ન કરી લે. આ વિશે મલાઈકા અરોરાએ કહ્યું કે તેને લગ્નની કોઈ ઉતાવળ નથી. હાલ મલાઈકા-અર્જુન પોતાનો પ્રી-હનીમૂન  એન્‍જોય કરી રહ્યા છે.

નોંધનીય છે કે મલાઈકા અને અર્જુન હવે ખુલીને પોતાના સંબંધ વિશે વાત કરે છે. થોડાંક અઠવાડિયા પહેલા મલાઈકાએ એક ઈન્‍ટરવ્‍યૂમાં કહ્યું હતું, અમે એક મેચ્‍યોર સ્‍ટેજ પર છીએ, જયાં હજી પણ અમે એકબીજાને ઓળખી રહ્યા છીએ. પણ અમે સાથે ફયૂચર જોવા માગીએ છીએ. અમે આ વિશે ઘણી બધી વાતો કરીએ છીએ અને હસીએ છીએ, પણ હવે આ વિશે ગંભીર પણ છીએ. કોઈપણ રિલેશનશિપમાં સિક્‍યોર અને પોઝિટીવ રહેવું ખૂબ જ જરૂરી છે. હું ખુશ છું અને પોઝિટીવ છું. અર્જુન, મને તે વિશ્વાસ અને શ્‍યોરિટી આપે છે. બાકી મને નથી લાગતું કે અમારે બધા પત્તા અત્‍યારે જ ખોલી દેવા જોઈએ.

(11:00 am IST)