Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

નુસરત ભરૂચાએ 'જનહિત મેં જારી'નું શૂટિંગ કર્યું પૂરું

મુંબઈ: નુસરત ભરૂચાએ ફિલ્મ 'જનહિત મેં જરી'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ફિલ્મના શેડ્યૂલનો છેલ્લો ચરણ મધ્યપ્રદેશના ચંદેરી ખાતે યોજાયો હતો. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શૂટના અંતની માહિતી પોસ્ટ કરી હતી. આ ફિલ્મ, (જે એક કોમેડી ફિલ્મ છે)માં અનુદ સિંહ, ટીનુ આનંદ, વિજય રાઝ અને પરિતોષ ત્રિપાઠી પણ છે.નુસરત ભરૂચા ઉપરાંત, ફિલ્મના દિગ્દર્શક જય બસંતુ સિંહ અને ક્રૂએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મના શૂટિંગની ઉજવણી માટે કેટલાક રમુજી ફોટા અને વીડિયો શેર કર્યા હતા. 'જનહિત મેં જારી' વિનોદ ભાનુશાલી અને રાજ શાંડિલ્યા દ્વારા રજૂ કરવામાં આવી છે અને વિનોદ ભાનુશાલી, કમલેશ ભાનુશાલી, વિશાલ ગુરનાની, રાજ શાંડિલ્યા, વિમલ લાહોટી, શ્રદ્ધા ચંદાવરકર, બંટી રાઘવ અને રાજેશ રાઘવ દ્વારા નિર્મિત છે અને મેહતા દ્વારા સહ-નિર્માતા છે.

(5:39 pm IST)