Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રેડલાઇટ એરિયાની કહાનીઃ રાત્રી કે યાત્રીઃ આજથી ઓટીટી પર

અનેક ફિલ્મો અને સિરીઝોમાં રેડલાઇટ એરિયાની કહાનીઓ બતાવાઇ ચુકી છે. હવે વધુ એક સિરીઝમાં આવી કહાની જોવા મળશે. એમએકસ પ્લેયર પર રિલીઝ થનારી 'રાત્રી કે યાત્રી'માં રેડલાઇટ એરિયામાં બનેલી પાંચ સાચી ઘટનાઓને આવરી લેવામાં આવી છે. એક જ રાતમાં આ પાંચ ઘટના બને છે. જેમાં અહિ આવનારા પાંચ પુરૂષોના જીવનની ઘટનાની વાત છે. કોઇ પારિવારીક પ્રશ્નથી હેરાન છે તો કોઇનું બ્રેકઅપ થઇ ગયું છે. કોઇને સમાજ સોસાયટી તરફથી હેરાનગતી છે તો કોઇ પોતાનાથી જ પરેશાન છે. આવી હાલતમાં બધા રેડલાઇટ એરિયા તરફ ખેંચાય જાય છે અને પરિણામ એ આવે છે કે સવાર પડતાં સુધીમાં તમામના જીવનમાં મોટુ પરિવર્તન આવી જાય છે. રાત્રી કે યાત્રીમાં સુધીર પાંડે, અંજુ મહેન્દ્રુ, ઇકબાલ ખાન, બરખા સેનગુપ્તા, પરાગ ત્યાગી, અવિનાશ મુખરજી, શૈની દોશી, રીના ધ્યાની, માનસી શ્રીવાસ્તવ, રેયાના પંડિત, ટીવી સ્ટાર પ્યોમરી મહેતા, સુપ્રિયા શુકલ, આકાશદીપ અરોરા, ઇન્દ્રીશ મલિક પણ છે. રાત્રી કે યાત્રી આજે મંગળવારે એમએકસ પ્લેયર પર સ્ટ્રીમ થશે.

(11:44 am IST)