Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ત્રણેય મોરચે કામ કરવામાં તકલીફ નથી પડતીઃ અજય

 

અજય દેવગણે બોલીવૂડમાં એક્‍ટર તરીકે ખુબ સફળતા મેળવી લીધી છે. હવે તે નિર્માતા અને નિર્દેશક તરીકે પણ વધુ કામ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્‍મ રનવે-૩૪ છે. તેમાં તેણે અભિનય કરવા ઉપરાંત નિર્દેશક તરીકે પણ કામ કર્યુ છે. તેણે કહ્યું હતું કે અમિતાભ બચ્‍ચન જેવા ઉમદા મહેનતુ અને કામને સમર્પિત અભિનેતાને ડિરેક્‍ટ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે. તેમની કામા કરવાની એનર્જી જોઇ આપણામાં પણ એનર્જી આવી જાય છે. તેમની સાથે મેં અગાઉ પણ કામ કર્યુ છે. નિર્માતા, નિર્દેશક અને કલાકાર એમ ત્રણેય મોરચે કામ કરવામાં મને તકલીફ પડતી નથી. અજય કહે છે સારી ફિલ્‍મો બનાવો અને મહેનત કરો તો ચોક્કસ સફળ થશે. આ રણનીતિથી જ આગળ વધવુ જોઇએ. અજયની આગામી ફિલ્‍મોમાં ભોલા, મૈદાન, થેન્‍ક ગોડ છે. જેમાં થેન્‍ક ગોડ આગામી સમયમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્‍મ થ્રિલર ડ્રામા છે. રહસ્‍યોથી ભરપુર છે.રકુલ પ્રિત સાથે ફરી કામ કરવાનો અનુભવ પણ ખુબ સારો રહ્યો છે.

 

(2:53 pm IST)