Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હાલમાં આ પગલુ ઉતાવળુ ગણાશેઃ આલિયા ભટ્ટ

અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની જોડી બોલીવૂડમાં ખુબ ચર્ચામાં રહે છે. આ બંને બહુ ઝડપથી લગ્ન કરી લેશે અને બંનેના પરિવારજનોએ તૈયારીઓ કરી લીધી છે તેવી વાતો વારંવાર સામે આવતી રહે છે. પરંતુ હવે ખુબ આલિયા ભટ્ટે કહ્યું છે કે હું લગ્ન કરવા ઉતાવળી નથી. હું હજુ પચ્ચીસ વર્ષની છું. જ્યારે લગ્ન કરીશ ત્યારે બધાને જણાવી દઇશે. આ વર્ષના અંતિમ અઠવાડીયામાં આલિયા અને રણબીર પરણી જશે તેવી વાતો પણ સામે આવી હતી. કોરોનાને કારણે આ બંનેએ હાલ લગ્ન ટાળી દીધાની પણ ચર્ચા છે. પરંતુ તાજેતરમાં આલિયાઅ લાઇવ ચેટમાં કહ્યું હતું કે લગ્ન કરવાના મૂડમાં હાલમાં તે નથી. અત્યારે આ ઉમરે લગ્ન કરી લેવા એ ખુબ ઉતાવળુ પગલુ ગણાશે. મને મારા કામ વિશે જ સવાલ કરવામાં આવે તે ગમશે. રણબીર અને આલિયા હાલમાં બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મ કરી રહ્યા છે. આ બંનેએ પહેલી જ વખત સાથે કામ કર્યુ છે.

(9:57 am IST)