Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ત્‍યાંના લોકો સમયના પાબંદ છેઃ શોભિતા

તાજેતરમાં રામ રાજ્‍ય નામની ફિલ્‍મ આવી હતી. જેમાં શોભિતા રાણા જોવા મળી હતી. મુળ ચંદીગઢની શોભીતા હાલમાં હૈદરાબાદ રહે છે. તે કહે છે મારું મોટા ભાગનું કામ દક્ષિણમાં હોય છે.  શોભિતાએ વર્ષ ૨૦૨૧મા ં શેરો ફિલ્‍મથી દક્ષિણ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં શરૂઆત કરી હતી.  તે કહે છે દક્ષિણમાં બધા લોકો પ્રોફેશનલ અને સમયના પાબંદ છે. બોલીવૂડમાં હું મોટા બ્રેકની રાહ જોઇ રહી છું. રામરાજ્‍યની પોતાની ભુમિકા વિશે શોભિતા કહે છે આ ફિલ્‍મનો ઉદ્દેશ તમામ ગંદકી દૂર કરવાનો છે. મેસેજ એવો છે કે લોકો શાંતિથી જીવન જીવવાનો પ્રયાસ કરે. મેં આ ફિલ્‍મ માટે ઓડિશન આપ્‍યું ત્‍યારે લૂક ટેસ્‍ટ પણ આપ્‍યો હતો. એ પછી બોકારોમાં અમે શુટીંગ શરૂ કર્યુ હતું. મેં ફિલ્‍મમાં સપનાનો રોલ ભજયો છે. એ એવી વ્‍યક્‍તિ છે જે રામરાજ્‍ય લાવવા માંગે છે. પણ આમાં કંઇ રાજકારણની વાત નથી. રામે દોરેલા માર્ગે આગળ વધવાની વાત છે.

(10:20 am IST)