Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

સુરતમાં બાળકીનું અપહરણ કરી લૂંટ ચલાવી દુષ્કર્મ આચરનાર નરાધમને વધુ 6 મહિનાની કેદની સુનવણી

સુરત: શહેરના ઉત્રાણ રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે આવેલી ઝૂપડપટ્ટીમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકી ગ ઈ તા.14 માર્ચ 2019ના રોજ પોતાની ફરિયાદી બહેન સાથે સૂતી હતી.જે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ધામ જિલ્લાના વતની 23 વર્ષીય આરોપી બુધ્ધિવિલાસ રાજારામ વિશ્વકર્માએ બાળકીને બદકામના ઈરાદે ઉપાડી જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ ભોગ બનનાર ના પગમાંથી ચાદીના સાકળા લુટીને બાળકીને બેભાન હાલતમાં મુકીને નાસી ગયો હતો.

જેથી ભોગ બનનાર બાળકીએ લોહીલુહાણ હાલતમાં ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટના પોતાની બહેનને જણાવતા સુરત રેલ્વે પોલીસમાં આરોપી રાજારામ વિશ્વકર્માની અપહરણ, દુષ્કર્મ, લુટ તથા પોકસો એકટના ભંગના ગુનામાં ઘરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 12 મુખ્ય સાક્ષી,ચાર સ્વતંત્ર સાક્ષી 41 પંચ સાક્ષી ચાર તબીબ પોલીસ સાક્ષી તથા 29 દસ્તાવેજી પુરાવાથીફરિયાદ પક્ષનો કેસ નિ:શકપણે સાબિત કર્યો હતો.સરકાર પક્ષે સાયોગિક પુરાવાની ક્રમબધ્ધ કડી જોડીને આરોપી સામેના ગુનાને સાકળતી કડી પુરવાર કરી હતી.

(6:44 pm IST)