Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરા નજીક લક્ષ્મીપુરામાં પિયર જતી રહેલ પત્નીએ પરત આવવાની ના કહેતા હતાશામાં ત્રણ સંતાનના પિતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 વડોદરા: શહેર નજીક લક્ષ્મીપુરા ગામે પિયર જતી રહેલી પત્નીએ પરત આવવાની ના પાડતા હતાશામાં આવી જઇ ત્રણ સંતાનના પિતાએ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે લક્ષ્મીપુરા ગામમાં રહેતો ૩૭ વર્ષનો જનક ભીખાભાઇ પરમાર ખેતીકામ સાથે સંકળાયેલો છે. તેના લગ્ન વડોદરા તાલુકાના કરાલી ગામે થયા હતા અને ૧૪ વર્ષની પુત્રી સહિત ત્રણ સંતાનો છે. ૧૦ દિવસ પહેલા તેની પત્ની પિયર જતી રહી હતી જેથી જનક પત્નીને તેડવા માટે ગયો ત્યારે તેની પત્નીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તારી સાથે હવે આવવાની નથી. પત્નીના જવાબથી જનક ઘેર આવી ગયો હતો અને મનમાં લાગી આવતા તેના નાના ભાઇના મકાનમાં જઇ રૃમમાં હિંચકાના કડા ઉપર સાડી બાંધી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)