Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શામળાજી મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણ વધારશે.: સરકારે 5 કરોડ ફાળવ્યા

શામળાજી મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ

અમદાવાદ : શામળાજી  મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભગવાન શામળીયાના મંદિરે આ દિવસે ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. અહીં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ તૈયારીઓ પહેલા જ શામળાજી મંદિરમાં હવે વધુ એક સુંદરતા ઉમેરાશે. મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શોનુ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારે આ માટે પાંચ કરોડ રુપિયા ફાળવી આપ્યા છે. શામળાજી મંદિર માટે આ સુંદર ભેટ માટે ગુજરાત સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

(12:04 am IST)