Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સચિવાલય અને તાબાની કચેરીઓ પાસે તાત્કાલિક માહિતી મંગાવતી સરકાર

એક જ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓની તોળાતી બદલી

રાજકોટ તા. ૧ : રાજ્ય સરકારે સચિવાલયના વિભાગો તેમજ વિભાગ હેઠળના ખાતાના વડા, કચેરીમાં એક જ સ્થળે ૪ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા વર્ગ ૧-૨ના અધિકારીઓની માહિતી માંગી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ કે.કે.પટેલની સહીથી તમામ વિભાગના વડાઓ જોગ પત્ર મોકલવામાં આવેલ છે.

૪ વર્ષ કે તેથી વધુ સમયના માપદંડમાં આવતા અધિકારીઓની માહિતી માત્ર ૩ દિવસમાં સરકારને પત્રથી અને ઇ-મેઇલથી આપવા જણાવાયું છે. સરકારે આ માહિતી માંગી તેથી વહીવટી તંત્રમાં વિવિધ કેડરમાં મોટા ફેરફારો આવી રહ્યાના સંકેત મળે છે. વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહેલા અધિકારીઓએ બદલી માટે તૈયાર રહેવું પડશે તેમ આધારભૂત સૂત્રો જણાવે છે.

(11:12 am IST)