Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિત્તે નર્મદા બાર એસોશીએશનના સદસ્યએ સ્વેચ્છિક રક્તદાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ ની જન્મ જયંતી નિમિત્તે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના અને તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ ભાઈ ગોપાલભાઈ વસાવાએ રાજપીપલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં  સ્વેચ્છિક રક્તદાન કર્યું હતું.
 કલ્પેશભાઈ વસાવાએ અગાઉ પણ રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપમાં જરૂરિયાતમંદોને રક્તદાન કરી ઉમદા સેવા આપી હતી,જ્યારે આજે પણ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મ જયંતીના અવસરે સ્વેચ્છિક રક્તદાન કરી વધુ એક સેવાકાર્ય કર્યું છે.

(10:10 pm IST)