Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી સહિત સંતોના આશીર્વાદ સાથે નૂતન વર્ષાભિનંદન

વિ.સં.૨૦૭૮ ના નૂતન પ્રભાતે દિપાવલી તથા નવા વર્ષની શતશઃ શુભ કામનાઓ...

દીપાવલીના દિવડાઓ અંતરના અજ્ઞાન રુપી અમાવાસ્યાના અંધકારને દૂર કરે,

નવા વર્ષનો નવો સૂરજ અંતરમાં અધ્યાત્મનો ઉજાસ પાથરે,

દીપાવલીના દિવસોમાં જેમ ડાહ્યો વેપારી નામું મેળવી લાભ હાનિના તાળાં મેળવે તેમ શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં આપણને જીંદગીનું નામું માંડવાની રીત શીખવી છે.

જીવનમાં ચાર પુરુષાર્થ  ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવાના છે, માત્ર અર્થ અને કામના જંગલમાં અટવાઇ જવાનું નથી.

નૂતન વર્ષે જપ, સ્વાધ્યાય અને સત્કર્મોમાં અભિવૃદ્ધિ થતી રહે,

ભગવાન શ્રીહરિ તથા એમના સાનિધ્યમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામીની કૃપાનો વરસાદ આપ સર્વે પરિવારની ઉપર વરસતો રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે.

અત્રેથી પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો તથા પાર્ષદોના હેતથી નૂતન વર્ષના જય શ્રી સ્વામિનારાયણ !!!

 લિ.સ્નેહાધીન માધવપ્રિયદાસજીના

 જય શ્રી સ્વામિનારાયણ

(12:44 pm IST)