Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

પાટણના પારેવાવીર દાદાનો લાભપાંચમનો મેળો આ વર્ષે પણ બંધ રખાયો

મંદિર ખુલ્લુ રહેશે .ભક્તો દાદાના દર્શન કરી શકશે.કોરોના ગાઇડલાઇનનું સખ્ત પાલન કરવાનું રહેશે

અમદાવાદ :  કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારો પર ગ્રહણ લાગ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવતાં નવરાત્રિ સહિતના તહેવારોમાં રાજ્ય સરકારે શરતોને આધિન છુટછાટ આપી હતી. જોકે, પાટણના પારેવાવીર દાદાનો લાભ પાંચમનો મેળો આ વર્ષે પણ બંધ રખાયો છે.

કોરોનાની મહામારીના કારણે પારેવાવીર દાદાનો લાભ પાંચમનો બંધ રાખવામાં આવ્યો છે.

જેની દરેક હરિભક્તોએ નોંધ લેવા ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે મંદિર ખુલ્લુ રહેશે જેથી ભક્તો દાદાના દર્શન કરી શકશે. જેમાં કોરોના ગાઇડલાઇનનું સખ્ત પાલન કરવાનું રહેશે.

(7:28 pm IST)