Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકે વરણીથી આનંદ

અગાઉ કેન્દ્રીય આદિજાતિ આયોગના સભ્ય તરીકે નિમણુંક થઇ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના પૂર્વ ધારાસબ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા ની ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

રાજપીપળાનું બે ટર્મ સુધી વિધાન સભા માં પ્રતિનિધિત્વ કરનાર પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આજે વિવિધ મોરચા ની જાહેરાત કરતા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા ના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરતા તેમના મિત્રો ટેકેદારો માં આનંદ ની લાગણી ફેલાઈ છે.
હર્ષદ વસાવા પ્રધાનમંત્રી ની ગુડબૂક માં મનાય છે અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાત ના સી એમ હતા ત્યારે હર્ષદ વસાવા ની સંસદીય સચિવ તરીકે અને પી એમ થયા ત્યારે કેન્દ્રીય આદિજાતિ આયોગ ના સભ્ય તરીકે નિમણૂંક કરી હતી હવે પુનઃ પ્રદેશ આદિજાતિ મોરચા ના પ્રમુખ તરીકે વરણી કરી છે.

(12:44 am IST)