Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 2815 કેસ નોંધાયા : વધુ 2063 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાથી 13 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 4552 થયો : કુલ 2,96,713 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યમાં વધુ 4,88,568 લોકોનું રસીકરણ કરાયું : મહારાષ્ટ્ર સહીત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ લોકોનો RTPCR ફરજીયાત

રાજ્યમાં આજે સુરતમાં 687 કેસ, અમદાવાદમાં 659 કેસ, વડોદરામાં 384 કેસ, રાજકોટમાં 277 કેસ, ગાંધીનગરમાં 68 કેસ, જામનગરમાં 67 કેસ, ભાવનગરમાં 62 કેસ, મહેસાણામાં 54 કેસ, પાટણમાં 51 કેસ, મહીસાગરમાં 39 કેસ, ભરૂચ, ખેડા અને નર્મદા, અને પંચમહાલમાં 36-36 કેસ, દાહોદમાં 32 કેસ, આણંદમાં 29 કેસ, જૂનાગઢમાં 28 કેસ, કચ્છ અને મોરબીમાં 26-26 કેસ, સાબરકાંઠામાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ, વલસાડમાં 21 કેસ, અમરેલીમાં 20 કેસ, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા : હાલમાં 14,298 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 2000ને પાર પહોંચ્યા છે આજે રાજ્યમાં 2815 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 2063 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 2815 કેસ નોંધાયા છે જયારે વધુ 2063 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,96,713 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 13 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4552 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 94,03 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ  કોર્પોરેશનમાં 4,ભાવનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, તાપીમાં 1, અને વડોદરામાં 1 મળીને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4552 થયો છે  

    રાજ્યમાં હાલ 14,298 એક્ટિવ  કેસ છે, જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14,137 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,96,713 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 62,30,249 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 7,64,347 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 69,94,596 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે 3,71,055 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 32,624 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 2815 પોઝિટિવ કેસમાં સુરતમાં 687 કેસ,અમદાવાદમાં 659 કેસ,વડોદરામાં 384 કેસ,રાજકોટમાં 277 કેસ, ગાંધીનગરમાં 68 કેસ, જામનગરમાં 67 કેસ, ભાવનગરમાં 62 કેસ, મહેસાણામાં 54 કેસ, પાટણમાં 51 કેસ,મહીસાગરમાં 39 કેસ, ભરૂચ, ખેડા અને નર્મદા, અને પંચમહાલમાં 36-36 કેસ, દાહોદમાં 32 કેસ, આણંદમાં 29 કેસ, જૂનાગઢમાં 28 કેસ, કચ્છ અને મોરબીમાં 26-26 કેસ, સાબરકાંઠામાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ, વલસાડમાં 21 કેસ, અમરેલીમાં 20 કેસ, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા છે

(8:22 pm IST)