Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી સુધી લંબાવાઈ : ૪ ટકા વ્યાજ રાહત સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એક કિસાન હિતકારી નિર્ણય: વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક  ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એકકિસાન હિતકારી નિર્ણય કર્યો છે

રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની  સમય મર્યાદાની મુદત  30 જૂન સુધી લંબાવવામાં આવી છે
મુખ્ય મંત્રીએ  રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે.
મુખ્યમંત્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને  મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે
વિજયભાઈ રૂપાણીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના  પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે

(7:06 pm IST)