Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારમાં 7 જૂને વીજ પુરવઠો સવારે 7 થી સાંજે 5 સુધી બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના મુખ્ય ઈજનેર એ.જી.પટેલના જણાવ્યા મુજબ રાજપીપળા શહેરના અમુક વિસ્તારમાં આગામી 7 જૂન ના સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રહેશે જોકે એ દિવસે પંચવટી ફીડર ચાલુ રહેશે માટે કાળા ઘોડાથી પેટ્રોલ પમ્પ,હરસિધ્ધિ મંદિર તરફની લાઈટ બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.
તેમજ રાજપીપળા-૧ માં આવતા ફૂલવાડી ફીડર તા.4 જૂન,ગોરા ફીડર તા.5 જૂન તથા કરજણ ડેમ તા.9 જૂને  મેનન્ટેન્સ માટે સવારે 7 થી સાંજે 5 સુધી બંધ રહશે તેમ જાણવા મળ્યું છે.

(11:02 pm IST)