Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કુંડળધામની મુલાકાતે નીતિન પટેલ : કોરોના કાળના સેવાકાર્યોની પ્રશંસા

બોટાદ જિલ્લાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ મુલાકાત લઇ સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર,તા. ૩ : ગઇકાલે બોટાદ જિલ્લાની મુલાકાત વખતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ સુપ્રસિધ્ધ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને સંસ્થા દ્વારા કુંડળધામ તથા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોના વખતે ચલાવાયેલા કોવિડ કેર કેન્દ્રો સહિતની સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી, સંસ્થાવતી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ તેમને આવકાર્યા હતા. સંતો સર્વશ્રી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી, અચ્યુતદાસજી સ્વામી, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી વગેરેએ શ્રી નીતિન પટેલને કુંડલેશ્વર મહાદેવ મંદિરમાં પુજન કરાવડાવ્યું હતું. તેમણે મંદિર સંકુલની મુલાકાત લઇ પ્રસન્નતા વ્યકત કરી હતી.

આ મુલાકાત પ્રસંગે ધારાસભ્ય આત્મારામ પરમાર, ભાજપ અગ્રણીઓ સુરેશ ગોધાણી, ભીખુભા વાઘેલા, બ્રિજરાજસિંહ ઝાલા, સુરેશ ગઢિયા, વિજયભાઇ ખાચર, ભાવસંગભાઇ તલસાણીયા, કલેકટર તુષાર સુમેરા, એસ.પી. હર્ષદ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)