Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજ્યના બે આઈએએસ અધિકારીઓની આંતરિક બદલી સહીત પાંચ આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફરના હુકમ

અમદાવાદ : રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા વધુ ત્રણ આઇએએસ અધિકારીઓની બદલીઓ અંગેના હુક્મો કર્યા છે. તે મુજબ કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ ( કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ) સંદીપકુમારની ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે સામાન્ય વહીવટ વિભાગ ( પ્લાનીંગ ) સેક્રેટરી આઇએએસ રાકેશ શંકરને કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્રેટરી ટુ ગર્વમેન્ટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.જયારે એડીશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર વિશાલ ગુપ્તાની કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગાંધીનગરમાં એડીશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત બે આઇએએસની આંતરિક બદલીઓ અંગેના હુક્મો કરવામાં આવ્યા છે. જેમાં રીજયોનલ કમિશનર મ્યુનિસિપાલીટી, વડોદરા ડી. કે. પારેખની રીજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રીજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી- વડોદરા તરીકે પ્રશસ્તિ પરીકની બદલી કરવામાં આવી છે.

(10:32 pm IST)