Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજપીપળા રોહિતવાસમાં રહેતાં વ્યક્તિ ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રોહિતવાસ માં રહેતા એક શખ્સ ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે ન ફરતા તેમના ધર્મપત્નીએ રાજપીપળા પોલીસનો સહારો લીધો હતો પરંતુ જાણ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ તપાસ કરનાર હે.કો. અલ્પેશ ભાઈ એ ગુમ થેયલ વ્યક્તિને શોધી કાઢતા પરીવારે રાહત મેળવી છે.

રાજપીપળા રોહિતવાસમાં રહેતા મીરાબેન ચંદ્રકાન્ત ભાઈ રોહિત એ કરેલી જાણ મુજબ તેમના પતિ ચંદ્રકાન્તભાઈ ખુશાલ ભાઇ રોહીત ગઇ તા .૩૦ / ૦૮ / ૨૦૨૧ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં તેમની પત્નીને તું ચા બનાવ હું આવું છું તેમ કહી ઘરેથી જતા રહેલ અને દસ વાગ્યા સુધી રાહ જોઇ પણ તેમના પતિ ચંદ્રકાન્તભાઈ રોહીત( ઉ.વ .૩૬ ) ધરે આવેલ ન હોય તેમની ઘણી શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા પત્નીએ તારીખ 01 સપ્ટેમ્બરે પોલીસ મથકમાં જાણ કરતા તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈએ ગણતરીના કલાકોમાં ગુમ થનાર ચંદ્રકાન્ત ભાઈને શોધી લેતા પરિવારજનો ને રાહત થઈ હતી.

(10:27 am IST)