Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રાજપીપળા દોલત બજારમાં શોર્ટ લાગતા મૃત્યુ પામેલા કપિરાજની VHP અને બજરંગ દળ એ અંતિમવિધિ કરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા રાજપીપલા દોલત બજાર બારોટની વાડી પાસે એક કપિરાજ ને સોટ લાગતાં મૃત્યુ પામતા સ્થાનિકો એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સક્રિય કાર્યકર્તા અજય તડવીને જાણ કરતા તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃત કપિરાજ ની અંતિમવિધિ માટે તજવીજ હાથ ધરી હતી

 મળતી માહિતી મુજબ રાજપીપળા દોલત બજાર બારોટની વાડી પાસે એક કપિરાજ ઇલેક્ટ્રિક પોલ પર જતા સોટ લાગવાના કારણે તેનું મૃત્યુ થતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અજય તડવીને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર તાત્કાલિક ગયા જેમાં અજય તડવી , જય તડવી, સુભાષ વસાવા, ધવલ તડવી નાઓ એ પહોંચી આ મૃત કપિરાજને લઈ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે તેની અંતિમવિધિ કરી હતી જેમાં મહારાજા ફ્લાવર વાળા રાજુભાઈ માલીએ અંતિમવિધિ માટેનો તમામ સામાન આપી માનવતા દાખવી હતી.

(11:05 pm IST)