Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

માહિતી આયોગના કાર્યકારી સચિવ તરીકે જયદીપ દ્વિવેદી

રાજકોટ : રાજય સરકારે ગુજરાત માહિતી આયોગ (માહિતી અધિકાર કચેરી)ના સચિવની ખાલી પડેલ જગ્‍યાનો વધારાના હવાલો નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીને સોંપ્‍યો છે. આ અંગે આજે સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્‍યો છે. આ કચેરીમાં માહિતી અધિકારને લગતી મહત્‍વની કામગીરી થાય છે.

(4:08 pm IST)