Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રાજપીપળા બીજેપીના અજિત પરીખને શ્રી રામ મંદિર નિર્માણ મહાઅભિયાનના ઇન્ચાર્જની જવાબદારી સોંપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તાજેતરમાંજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની નિમણુંક થતા પક્ષના સક્રિય કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ અમુક ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હોય તેમાં નર્મદા જિલ્લા માંથી શ્રી રામ મંદિર નિર્માણ મહાઅભિયાનના ઇન્ચાર્જ તરીકે રાજપીપળાના અજિતભાઈ પરીખને જવાબદારી સોંપવામાં આવતા રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના તેમના મિત્રો,સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના હોદેદારોએ અજિતભાઈને અભિનંદન પાઠવ્યા હતા

(11:45 am IST)