Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નર્મદા જિલ્લામાં કોરોના શાંત પડ્યો : ગુરુવારે માત્ર ૦૨ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નાદોદ તાલુકામાં ભદામ ૦૧, ગરુડેશ્વર તાલુકામાં ઝરીયા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૦૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૦૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૫ દર્દી દાખલ છે. આજે ૧૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૧૫૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૬૭ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૫૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:17 am IST)