Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

બનાસકાંઠા જિલ્લામાં ૧ કરોડ વૃક્ષારોપણ થશેઃ શંકર ચૌધરી

રાજકોટ તા. ૩ :.. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવતા દિવસોમાં બનાસ ડેરી દ્વારા ૧ કરોડ વૃક્ષો ઉછેરવા રોપા વાવવાનો સંકલ્પ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેર કર્યા છે.

રાજયમાં બનાસકાંઠા જિલ્લો હરીયાળીની દ્રષ્ટિએ પાછળ છે. તેને લીલોછમ્મ બનાવવા ડેરીએ બીડુ ઝડપ્યુ છે. દૂધ મંડળીઓને સાંકળીને ૧ કરોડ વૃક્ષારોપણ  માટેના અભિયાનનો પ્રારંભ આવતીકાલે પ જૂને વિશ્વ પર્યાવરણ દિનથી કરવામાં આવશે. કુલ ૭૦ થી વધુ જાતના વૃક્ષો ઉછેરવામાં આવશે. પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોનું જતન કરવા શંકર ચૌધરીએ લોકોને અપીલ કરી છે.

(12:56 pm IST)