Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નાંદોદ તાલુકના ગ્રામ્ય વિસ્તારમાં 6 જૂને વીજ પુરવઠો સવારે 8 થી સાંજે 5 સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપની ના મુખ્ય ઈજનેર એ.જી.પટેલના જણાવ્યા મુજબ નાંદોદ તાલુકાના ગ્રામ્ય  વિસ્તારમાં આગામી 6 જૂન ના સવારે 8 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રહેશે જેમાં અણીજરા 66 કેવી ના મેન્ટેનન્સ કામ માટે નાંદોદ તાલુકાના અણીજરા, લાછરસ, ગુવાર,માંગરોલ,જુના રામપરા,નવા રામપરા,થરી સહિતના કેટલાક ગામોમાં આ દિવસે વીજ પુરવઠો બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.

(11:33 pm IST)