Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ઝાઝપુરા ગામમાં ઝૂપડું તોડી નાંખી માર મારનાર ત્રણ શખ્સો વિરુદ્ધ તિલકવાડા પો.સ્ટે.માં ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામ માં એક વ્યક્તિનું ઝૂપડું તોડી નાંખી માર મારી ધમકી આપનાર ત્રણ વ્યક્તિઓ સામે ફરીયાદ થઈ છે .

  મળતી માહિતી અનુસાર વલ્લભભાઇ સોમાભાઇ બારીયા( રહે.ઝાઝપુરા) એ આપેલી ફરીયાદ મુજબ તેમના ગામના રમેશભાઇ દલસુખભાઇ બારીયા, અશ્વિનભાઇ રમેશભાઇ બારીયા અને વિષ્ણુભાઇ રણછોડભાઇ બારીયાનાઓ એ તેમનું છાપરું તોડી નાખી ગાળો બોલી કોદાળીની મુંદર મારી મુઢ ઇજા કરી તથા તેમના પુત્ર પ્રવિણભાઇ ને લોખંડની પાઇપ મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી  ઢીકાપાટુનો માર મારી ત્રણેય એ જાનથી મારી નાખવાની ધમકી આપતા તિલકવાડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:40 pm IST)