Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદમાં આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી

પ્રત્યેક મૃતકના વારસદારને 4 લાખની સહાય આપવાની મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત : આગની ઘટનાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી

અમદાવાદ : અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી છે આ આગ દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીએ જવાબદારી સોંપી છે

  શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ  વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે.

 દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ૪ લાખની સહાય આપવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  જાહેરાત કરી છે

(6:06 pm IST)