Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હૃદય હોસ્પિ.માં ઓક્સિજન સિલિન્ડરમાં ભીષણ બ્લાસ્ટ

હોસ્પિ. પોલ ખુલ્લી, પાર્કિંગમાં સિલિન્ડર ગોઠવ્યા : કોરોના મહામારીની સારવાર કરી રહેલી હૉસ્પિટલોને જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે

અમદાવાદ,તા. : શહેરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં સારવાર હેઠળના દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં પહેલા પણ નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં એક તરફ કોરોના વાઇરસની સારવાર કરી રહેલી હૉસ્પિટલોને જાણે અકસ્માતનું કોઈ મોટું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ફરી એક હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓના જીવ થોડી ક્ષણો માટે જોખમમાં મૂકાઇ ગયા હતા, પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. હોસ્પિટલ અંગેની વાત કરવામાં આવે તો અમદાવાદના ટાઉન હૉલ વિસ્તારમાં આવેલી હદય કૉવિડ હૉસ્પિટલમાં ઑક્સિજન લીકેજની ઘટના બની હતી. જેના પગલે સૌથી પહેલા દર્દીઓને સલામત સ્થાને ખસેડી લેવામાં આવ્યા હતા. ૨૧ થી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.હોસ્પિટલે ઓક્સિજનના સિલિન્ડર પાર્કિંગમાં મુક્યા ત્યાં લીકેજની ઘટના બની હતી. પાર્કિંગમાં ૧૦ જેટલા બાઈક અને કાર પડેલી હતી. તેમજ ૫૦ થી વધારે સિલિન્ડર એક સાથે પડેલા હતા. હોસ્પિટલના સ્ટાફમાંથી ૧૧ કલાકે ફાયરને કોલ મળ્યો હતો. બનાવમાં ફાયર બ્રિગેડની ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ સિલિન્ડરને બાકીના સિલિન્ડરથી અલગ કરી દેવામાં આવ્યો હતો. - ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે હતી. જેના કારણે લીકેજની ઘટનામાં મોટો અકસ્માત થતા ટળ્યો હતો. જોકે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. જેનાથી મોટી ઘટના ટળી હતી. મહત્વનું છે કે, હોસ્પિટલમાં પાર્કિંગ પ્લોટની અંદર ઓક્સિજન સિલિન્ડર મુકવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યમાં ફોર વ્હીકલ અને ટૂ વ્હીકલ પાર્ક કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટનું ઘટનાએ રોદ્ર સ્વરૂ ધારણ કર્યું હોત તો એક બાદ એક વાહનોઓ પણ આગની ઝપેટે ચઢી ગયા હોત, પરંતુ હોસ્પિટલ તંત્રની સાથે કોર્પોરેશનની બહુ મોટી બેદરકારી જોવા મળી રહી છે, ત્યારે શા માટે કોર્પોરેશન હોસ્પિટલના સંચાલકોને છાવરી રહી છે તે પણ એક પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે. આજે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ અંગેનો ફાયરમાં કોલ મળતા ફાયરબ્રિગેડ દોડતું થઈ ગયું હતું. જો કે પત્રકારોને માહિતી મળતા પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર સાથે હોસ્પિટલના સિક્યોરિટી અને તંત્ર દ્વારા હાથાપાઈ કરવામાં આવી હતી. જે ઘટના પણ ખુબ નિંદનીય ગણવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસ પણ હોસ્પિટલના પાર્કિંગ પ્લોટમાં ઓક્સિજન સિલિન્ડર ગોઠવવામાં આવ્યા છે. તો શું કાર્યવાહી સંચાલક વિરૂદ્ધ કરે છે તે જોવું રહ્યું છે.

 

(9:48 pm IST)