Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળા માં જાહેરનામા નો ભંગ કરતા બે વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની કડક સુચના મુજબ હાલ ચાલી રહેલા જાહેરનામાનો ભંગ કરતા વાહન ચાલકો પર પોલીસ કાયદેસર કાર્યવાહી કરતી હોય જેમાં રાજપીપળાના કાળાઘોડા સર્કલ અને રંગઅવધુત મંદિર પાસે રાજપીપળા પો.સ્ટે.ના પીએસઆઇ એમ.બી.વસાવા ટિમ સાથે ચર્કિંગમાં હતા એ દરમિયાન કાળાઘોડા સર્કલ પાસે સંજયભાઇ ભિખાભાઈ વસાવા રહે.ભુછાડ,તા-નાંદોદ જી-નર્મદા એ પોતાના વાહનમા ગે.કા.ચારથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા હતો જ્યારે બીજી ફરિયાદ માં રંગઅવધુત મંદિર પાસે વિજયભાઇ વિઠ્ઠલ ભાઇ સોલંકી રહે.રસેલા,તા-નાંદોદ,જી-નર્મદા એ પણ પોતાના વાહનમા ગે.કા.રીતે ચારથી વધારે માણસો બેસાડી જાહેરમાં નો ભંગ કરતા બંને વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:25 pm IST)