Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1405 દર્દીઓ સાજા થયા : નવા 1327 પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 1,44,027 થઇ : વધુ 13 લોકોના મોત :કુલ 1,23,770 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 276 કેસ, અમદાવાદમાં 187કેસ, રાજકોટમાં 155 કેસ,વડોદરામાં 124 કેસ,જામનગરમાં 90 ,ગાંધીનગરમાં 39 કેસ,મહેસાણામાં 43 કેસ,અમરેલીમાં 30 કેસ, ભાવનગરમાં 32 કેસ,જૂનાગઢમાં 31 કેસ,કચ્છમાં 27 કેસ,મોરબીમાં 22 કેસ, પંચમહાલમાં 20 કેસ,અને સુરેન્દ્રનગરમાં 19 કેસ નોંધાયા ::જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા  કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે રાજ્યમાં આજે નવા 1327  પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,44,027 થઇ છે  આજે વધુ  1405 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,23,770 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3512 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1327 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3512 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16745 છે જેમાંથી વેન્ટીલેટર પર 94 દર્દીઓ છે જ્યારે 16651 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ 85,94  થયો છે રાજ્યમા, અત્યાર સુધીમાં 47,02,776 ટેસ્ટ કરાયા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરતમાં 3. સુરત કોર્પોરેશનમાં 2,ભાવનગર કોર્પોરેશનમાં 1,મહીસાગરમાં 1,રાજકોટમાં 1,વડોદરામાં 1,વડોદરા કોર્પોરેશનમાં  1 મળીને કુલ 13 લોકોના મોત થયા હતા.

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1327 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 276 કેસ, અમદાવાદમાં 187કેસ, રાજકોટમાં 155 કેસ,વડોદરામાં 124 કેસ,જામનગરમાં 90 ,ગાંધીનગરમાં 39 કેસ,મહેસાણામાં 43 કેસ,અમરેલીમાં 30 કેસ, ભાવનગરમાં 32 કેસ,જૂનાગઢમાં 31 કેસ,કચ્છમાં 27 કેસ,મોરબીમાં 22 કેસ, પંચમહાલમાં 20 કેસ,અને સુરેન્દ્રનગરમાં 19 કેસ નોંધાયા  છે

(9:31 pm IST)