Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

નર્મદા જિલ્લામાં સોમવારે ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: જિલ્લામાં કુલ આંક એક હજારને પાર

(ભરત શાહ) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના દરબાર રોડ ૦૧ ટેકરા પોલીસ લાઈન ૦૧ નાંદોદ તાલુકાના રસેલા ૦૨ શહેરાવ ૦૧ ગરુડેશ્વર માં ૦૨ કેવડિયા કોલોની ૦૧ અને તિલકવાડા ૦૧ જલોદરા ૦૨ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૨ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૪૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૦૧ પર પહોચ્યો છે.

(10:09 pm IST)